Get App

ઈરાનમાં લોહિયાળ સંઘર્ષ: 4000થી વધુના મોત અને 26000ની અટકાયત, જાણો સ્થિતિ કેટલી ગંભીર છે?

Iran Protests: ઈરાનમાં પ્રદર્શનોએ ભયાનક સ્વરૂપ લીધું છે. HRANA ના રિપોર્ટ મુજબ 4000 લોકોના મોત અને 26000ની અટકાયત થઈ છે. સરકારની કડક કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય અસર વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Jan 20, 2026 પર 11:52 AM
ઈરાનમાં લોહિયાળ સંઘર્ષ: 4000થી વધુના મોત અને 26000ની અટકાયત, જાણો સ્થિતિ કેટલી ગંભીર છે?ઈરાનમાં લોહિયાળ સંઘર્ષ: 4000થી વધુના મોત અને 26000ની અટકાયત, જાણો સ્થિતિ કેટલી ગંભીર છે?
Iran Protests: ઈરાનમાં પ્રદર્શનોએ ભયાનક સ્વરૂપ લીધું છે. HRANA ના રિપોર્ટ મુજબ 4000 લોકોના મોત અને 26000ની અટકાયત થઈ છે.

Iran Death Toll: ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો હવે અત્યંત ગંભીર અને લોહિયાળ બની ગયા છે. લાંબા સમયથી ચાલી રહેલા આ દેખાવોને ડામવા માટે ત્યાંનું વહીવટીતંત્ર જે રીતે કડક કાર્યવાહી કરી રહ્યું છે, તેના આંકડા જાણીને દુનિયા ચોંકી ઉઠી છે. અમેરિકા સ્થિત 'હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી' (HRANA)ના તાજેતરના અહેવાલે ઈરાનની ભયાવહ સ્થિતિ પરથી પડદો ઉચક્યો છે.

આઘાતજનક આંકડા: 4000થી વધુ લોકોના મોત

HRANAના રિપોર્ટ અનુસાર, ઈરાનમાં ફાટી નીકળેલી આ હિંસામાં અત્યાર સુધીમાં કુલ 4029 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આંકડાઓમાં 3786 જેટલા સામાન્ય પ્રદર્શનકારીઓ છે, જ્યારે 180 સુરક્ષાકર્મીઓનો પણ ભોગ લેવાયો છે. સૌથી દુઃખદ વાત એ છે કે આ હિંસામાં 28 માસૂમ બાળકો અને 35 એવા નાગરિકો પણ માર્યા ગયા છે, જેમનો આ પ્રદર્શનો સાથે કોઈ લેવાદેવા નહોતા. બીજી તરફ, ધરપકડનો આંકડો પણ ચિંતાજનક છે. એજન્સીના દાવા મુજબ અત્યાર સુધીમાં 26,000થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

ધરપકડ અને ફાંસીનો ડર

એક તરફ સત્તાવાર રીતે સરકાર માત્ર 3000 લોકોની ધરપકડની વાત સ્વીકારે છે, પરંતુ બિનસત્તાવાર આંકડાઓ મુજબ 20,000થી વધુ લોકો જેલમાં બંધ છે. સંયુક્ત રાષ્ટ્ર અને વિવિધ માનવાધિકાર સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે ઈરાન સરકાર વિરોધને કચડી નાખવા માટે ફાંસીની સજાનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. આ સ્થિતિ ત્યાંના નાગરિકો માટે અત્યંત ભયજનક બની છે.

સરકારની નીતિ: અમેરિકા-ઇઝરાયલ પર આરોપ અને સુધારાના વચનો

ઈરાન સરકારે આ તમામ હિંસા અને અશાંતિ માટે સીધા જ અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને દેશમાં વધતી મોંઘવારી અને આર્થિક તંગીથી ત્રસ્ત પ્રજાને શાંત કરવા માટે સુધારા લાવવાનું વચન આપ્યું છે. જોકે, જમીની હકીકત એ છે કે પોલીસ પ્રદર્શનકારીઓ સામે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો