Basmati Rice Export: ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલનો અને અમેરિકાના વધતા દખલે ભારતના ચોખા બજારને હચમચાવી દીધું છે. જેની સીધી અસર ભારતીય નિકાસકારો (Exporters) પર જોવા મળી રહી છે. ઈરાન એક સમયે ભારતીય બાસમતી ચોખાનો સૌથી મોટો ખરીદદાર હતો, પરંતુ હવે તે ત્રીજા નંબરે સરકી ગયો છે. હાલની સ્થિતિને જોતા નિષ્ણાતો માને છે કે જો સંજોગો ન સુધર્યા તો ભારતથી થતી નિકાસ હજુ પણ ઘટી શકે છે.

