Vande Mataram New Rules: કેન્દ્ર સરકારે દેશના રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ ને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને નવી ગાઈડલાઈન (માર્ગદર્શિકા) જાહેર કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આ નવા આદેશ મુજબ, હવે સરકારી કાર્યક્રમો, શાળાઓ અને અન્ય મહત્વના સમારોહમાં વંદે માતરમના ગાયન અને વાદન માટે ચોક્કસ નિયમોનું પાલન કરવું પડશે. આ નવા નિયમો રાષ્ટ્રગીત ‘જન ગણ મન'ની જેમ જ ‘વંદે માતરમ’ ને પણ સમાન સન્માન અને એકરૂપતા આપવા માટે બનાવવામાં આવ્યા છે.

