અમદાવાદમાં થયેલા ભયાનક એર ઇન્ડિયા પ્લેન ક્રેશ પછી વીમા કંપનીઓને પીડિતોના પરિવારજનો તરફથી અનેક પ્રકારના ઇન્શ્યોરન્સ ક્લેઇમ મળી રહ્યા છે. આમાં જીવન વીમા, અકસ્માત મૃત્યુ કવર, હોટલ બુકિંગ કેન્સલેશન, સામાન ગુમ થવા અને ટ્રિપ પ્લાન કેન્સલેશન જેવા દાવા મુખ્ય છે. આ દુર્ઘટનામાં 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના મોત થયા હતા, જ્યારે જે જગ્યા પર પ્લેન પડ્યું હતું ત્યા હજાર 19થી વધુ લોકોના જીવ ગયા હતા.