Child Deaths: કોલ્ડ્રિફ કફ સિરપ કેસ, જેમાં 22 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, તે મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. સોમવારે ચેન્નાઈમાં શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના 7 ઠેકાણે EDએ દરોડા પાડ્યા. આ દરોડા પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ચાલી રહ્યા છે, જેમાં તમિલનાડુ ડ્રગ કંટ્રોલના ટોચના અધિકારીઓના નિવાસ્થાનોની પણ તપાસ થઈ રહી છે. આ કેસમાં શ્રીસન ફાર્માના માલિક જી. રંગનાથનને મધ્યપ્રદેશ પોલીસે 9 ઓક્ટોબરે કસ્ટડીમાં લીધા હતા.

