ભારતમાં કોરોના વાયરસ ફરી એકવાર ઝડપથી પગપેસારો કરી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા 3395એ પહોંચી ગઈ છે, જે ચિંતાનો વિષાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે ચાર દર્દીઓના મોત નોંધાયા છે, જેમાં દિલ્હી, કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં એક-એક મોતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે, જ્યાં હાલ 265 એક્ટિવ કેસ નોંધાયા છે.