Delhi News: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એક જ પરિવારના 6 લોકોના દર્દનાક મોતના સમાચારથી સનસનાટી ફેલાઈ ગઈ છે. દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુક્રવારે સવારે એક જ પરિવારના છ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકનું મોત ગૂંગળામણને કારણે થયું હતું. ઉત્તર-પૂર્વ દિલ્હીના શાસ્ત્રી પાર્કના એક ઘરમાં ગુરુવારે રાત્રે પરિવારના નવ સભ્યોમાંથી છના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પ્રારંભિક તપાસમાં મૃત્યુનું કારણ મચ્છર ભગાડનાર મોર્ટિન કોઇલને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

