Corona vaccine: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે કોરોના રસી અને હાર્ટ એટેકથી થતાં અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દ્વારા કરવામાં આવેલા ઊંડાણપૂર્વકના અભ્યાસના આધારે આ નિવેદન જારી કરવામાં આવ્યું છે.

