ભારતીય વાયુસેનાની તાકાતમાં હવે અનેકગણો વધારો થવા જઈ રહ્યો છે. મોદી સરકારે ફ્રાન્સ પાસેથી નવા રાફેલ ફાઈટર જેટ્સ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન રાફેલ વિમાનોએ જે રીતે પાકિસ્તાન પર પોતાની ધાક જમાવી હતી, તે જોઈને દુનિયા દંગ રહી ગઈ હતી. હવે આ નવા સોદાથી ભારતની એર પાવર જોઈને દુશ્મન દેશોના પરસેવા છૂટી જશે.

