India-US relations: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાની વિદેશ નીતિને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે અમેરિકા હવે દેશો સાથે સીધા વન-ઓન-વન એટલે કે દ્વિપક્ષીય સંબંધો બનાવીને વૈશ્વિક સ્તરે જોડાણની શરતોને મૂળભૂત રીતે બદલી રહ્યું છે. આ નિવેદન તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), કોલકાતામાં ડોક્ટરેટની માનદ પદવી મેળવ્યા બાદ આપ્યું હતું.

