Get App

આસામમાં પૂરનો કહેર ગંભીર બન્યો: 5.65 લાખથી વધુ લોકો પ્રભાવિત, અત્યાર સુધીમાં 31ના મોત

આસામમાં સતત વરસાદ અને પૂરને કારણે હાહાકાર મચી ગયો છે. 5.65 લાખથી વધુ લોકો પૂરની ઝપેટમાં છે અને 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. જાણો આસામની લેટેસ્ટ પરિસ્થિતિ અને હવામાન વિભાગનું એલર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Jul 22, 2026 પર 12:57 PM
આસામમાં પૂરનો કહેર ગંભીર બન્યો: 5.65 લાખથી વધુ લોકો પ્રભાવિત, અત્યાર સુધીમાં 31ના મોતઆસામમાં પૂરનો કહેર ગંભીર બન્યો: 5.65 લાખથી વધુ લોકો પ્રભાવિત, અત્યાર સુધીમાં 31ના મોત
પૂરના કારણે આ વર્ષે રાજ્યમાં જીવ ગુમાવનારા લોકોનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ જે 21 લોકોના મોત થયા છે.

Assam flood: આસામમાં સતત વરસી રહેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. રાજ્યમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. બુધવાર 22 જુલાઈના રોજ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થતાં હાલાત વધુ બગડ્યા હતા. પૂરના પાણીમાં ડૂબી જવાથી વધુ 21 લોકોના મોત નિપજ્યા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, રાજ્યમાં 5,64,600 થી વધુ લોકો પૂરની ભયંકર ઝપેટમાં આવી ગયા છે.

કયા જિલ્લામાં કેટલા મોત થયા?

પૂરના કારણે આ વર્ષે રાજ્યમાં જીવ ગુમાવનારા લોકોનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ જે 21 લોકોના મોત થયા છે. શિવસાગરમાં 4 મહિલાઓ અને 2 બાળકો સહિત કુલ 13 લોકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે. ચરાઈદેવમાં 2 બાળકો સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે ગોલાઘાટમાં 2 લોકોના મોત આ સાથે જોરહાટમાં પણ 1 મહિલાનું મોત થયું છે.

સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ કયા છે?

ASDMAના રિપોર્ટ મુજબ વિશ્વનાથ, ચરાઈદેવ, ધેમાજી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, જોરહાટ, કામરૂપ, કામરૂપ મેટ્રો, કાર્બી આંગલોંગ, નાગાંવ, શિવસાગર અને તિનસુકિયા જિલ્લાઓમાં પૂરના કારણે 5.65 લાખ લોકો પ્રભાવિત થયા છે.

આમાં સૌથી ખરાબ હાલત શિવસાગર જિલ્લાની છે, જ્યાં 3.6 લાખ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. ત્યારબાદ જોરહાટમાં 88,000 અને ચરાઈદેવમાં 72,500 થી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સોમવાર રાત સુધી 15 જિલ્લાઓમાં 3.63 લાખ લોકો પ્રભાવિત હતા, જે આંકડો હવે ઘણો વધી ગયો છે.

હવામાન વિભાગનું 'યલો એલર્ટ'

બધા સમાચાર

+ વધુુ વાંચો