Khel Ratna Awards 2024: ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રમત મંત્રાલયે આ જાણકારી આપી. રમત મંત્રાલયે કહ્યું કે ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર એથ્લેટને ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળશે. મનુ ભાકર અને વિશ્વ ચેમ્પિયન ડી ગુકેશ ઉપરાંત હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટ પ્રવીણ કુમારને પણ ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ એ રમતગમતમાં દેશનું સર્વોચ્ચ સન્માન છે. આ સિવાય રમત મંત્રાલયે અર્જુન એવોર્ડ માટે 32 ખેલાડીઓની પસંદગી કરી હતી, જેમાંથી 17 પેરા એથ્લેટ છે. આશ્ચર્યની વાત એ છે કે અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયેલા 32 ખેલાડીઓમાં એક પણ ક્રિકેટર સામેલ નથી.

