Girija Vyas Passed Away: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. ગિરિજા વ્યાસનું ગુરુવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું. તેઓ 79 વર્ષના હતા. ગણગૌર પૂજા દરમિયાન ચુંદડીમાં આગ લાગવાને કારણે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને લગભગ 90 ટકા દાઝી જવાને કારણે તેમની હાલત સતત નાજુક બની રહી હતી. ઉદયપુરમાં પ્રાથમિક સારવાર બાદ તેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો. તેમના પાર્થિવ શરીરને ઉદયપુર લઈ જવામાં આવ્યો છે.

