India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટો આખરે પૂર્ણ થઈ છે. 24 જુલાઈએ લંડનમાં આ સમજૂતી પર હસ્તાક્ષર થવાના છે. આ ઐતિહાસિક ક્ષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ હાજર રહેશે. આ સમજૂતીથી બંને દેશો વચ્ચેનો વેપાર 2030 સુધીમાં બમણો થઈને 120 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.