India China Relations: ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં એક મોટો અને મહત્વનો વળાંક આવવા જઈ રહ્યો છે. વર્ષ 2020માં ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતે ચીની કંપનીઓ પર જે કડક પ્રતિબંધો લગાવ્યા હતા, તેમાં હવે સરકાર છૂટછાટ આપવાની તૈયારી કરી રહી છે. નાણા મંત્રાલય (Ministry of Finance) એવા નિયમોને ખતમ કરવા વિચારી રહ્યું છે જેના કારણે ચીની કંપનીઓને ભારતમાં સરકારી પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર ભરતા પહેલા મુશ્કેલ સિક્યુરિટી ચેકિંગ અને રજિસ્ટ્રેશનમાંથી પસાર થવું પડતું હતું.

