India-pakistan Ceasefire: ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના તણાવ બાદ બંને દેશોએ તાત્કાલિક સીઝફાયરની જાહેરાત કરી છે. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ઉભા થયેલા સંઘર્ષ બાદ લેવામાં આવ્યો છે, જેમાં 26 લોકોના મોત થયા હતા. જોકે, સીઝફાયરની સાથે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લીધેલા કેટલાક કડક નિર્ણયો હજુ પણ ચાલુ રહેશે, જે બંને દેશો વચ્ચેના સંબંધોની ગંભીરતા દર્શાવે છે.

