India-US Trade: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ 22 સપ્ટેમ્બર, 2025ના રોજ ભારત-અમેરિકા વચ્ચેની વેપાર વાટાઘાટોને આગળ વધારવા માટે ન્યૂયોર્ક જશે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રવાસનો હેતુ બંને દેશો વચ્ચે પરસ્પર લાભદાયી વેપાર સમજૂતી પર ચર્ચા કરવાનો છે. પીયૂષ ગોયલની સાથે વાણિજ્ય મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ પણ આ યાત્રામાં સામેલ થશે.