Get App

IPL વિવાદ: બાંગ્લાદેશી ખેલાડીને KKRમાં લેતા શાહરુખ ખાન પર ભડક્યા સાધુ-સંતો, ગણાવ્યો 'દેશદ્રોહી', જાણો વિગતવાર

KKR Controversy: IPL 2026 માટે KKR એ બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુરને ખરીદતા વિવાદ વકર્યો છે. જગતગુરુ રામભદ્રાચાર્ય અને દેવકીનંદન ઠાકુરે શાહરુખ ખાનને 'દેશદ્રોહી' ગણાવી ઝાટકણી કાઢી છે. જાણો શું છે સમગ્ર મામલો.

MoneyControl Newsઅપડેટેડ Jan 02, 2026 પર 10:35 AM
IPL વિવાદ: બાંગ્લાદેશી ખેલાડીને KKRમાં લેતા શાહરુખ ખાન પર ભડક્યા સાધુ-સંતો, ગણાવ્યો 'દેશદ્રોહી', જાણો વિગતવારIPL વિવાદ: બાંગ્લાદેશી ખેલાડીને KKRમાં લેતા શાહરુખ ખાન પર ભડક્યા સાધુ-સંતો, ગણાવ્યો 'દેશદ્રોહી', જાણો વિગતવાર
KKR Controversy: IPL 2026 માટે KKR એ બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુરને ખરીદતા વિવાદ વકર્યો છે.

KKR Controversy: IPL 2026 ની હરાજી તો પૂરી થઈ ગઈ છે, પરંતુ તેનો વિવાદ હજુ શમવાનું નામ નથી લઈ રહ્યો. બોલિવૂડ સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના માલિક શાહરુખ ખાન હાલ ચારેતરફથી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આ વિવાદનું મૂળ કારણ છે તેમની ટીમમાં એક બાંગ્લાદેશી ખેલાડીનો સમાવેશ. ભાજપના નેતાઓ બાદ હવે દેશના મોટા ધર્મગુરુઓ અને સાધુ-સંતો પણ શાહરુખ ખાનની સામે મેદાનમાં ઉતર્યા છે.

શાહરુખ પર ભડક્યા જગતગુરુ રામભદ્રાચાર્ય

નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ જગતગુરુ રામભદ્રાચાર્યે શાહરુખ ખાન વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. KKR દ્વારા બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં લેવાના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, "આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. શાહરુખ ખાનનું વલણ હંમેશા એક 'દેશદ્રોહી' જેવું જ રહ્યું છે."

રામભદ્રાચાર્યે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત સરકારે આવી ઘટનાઓને બિલકુલ સાંખી ન લેવી જોઈએ. તેમનો આક્રોશ એ વાત પર હતો કે જ્યારે પાડોશી દેશમાં હિન્દુઓ પીડાઈ રહ્યા છે, ત્યારે આપણે ત્યાંના ખેલાડીઓને આવકારી રહ્યા છીએ.

"પબ્લિક ઝીરો પણ બનાવી શકે છે" - દેવકીનંદન ઠાકુર

બીજી તરફ, મુંબઈમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન જાણીતા કથાવાચક દેવકીનંદન ઠાકુરે પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે શાહરુખ ખાનને ચેતવણી આપતા સૂરમાં કહ્યું હતું કે, "તમે એ ન ભૂલતા કે તમને હીરો બનાવનારા આ ભારતીયો જ છે. જે પ્રજા તમને હીરો બનાવી શકે છે, તે તમને ઝીરો પણ બનાવી શકે છે."

દેવકીનંદન ઠાકુરનું કહેવું છે કે જ્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે હિંસક વ્યવહાર થઈ રહ્યો હોય, ત્યારે ત્યાંના ખેલાડીને ટીમમાં લઈને શાહરુખ ખાને સમાજમાં ખોટો સંદેશો મોકલ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો