KKR Controversy: IPL 2026 ની હરાજી તો પૂરી થઈ ગઈ છે, પરંતુ તેનો વિવાદ હજુ શમવાનું નામ નથી લઈ રહ્યો. બોલિવૂડ સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના માલિક શાહરુખ ખાન હાલ ચારેતરફથી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આ વિવાદનું મૂળ કારણ છે તેમની ટીમમાં એક બાંગ્લાદેશી ખેલાડીનો સમાવેશ. ભાજપના નેતાઓ બાદ હવે દેશના મોટા ધર્મગુરુઓ અને સાધુ-સંતો પણ શાહરુખ ખાનની સામે મેદાનમાં ઉતર્યા છે.

