S Jaishankar: ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર પોતાની આગવી શૈલીમાં પાડોશી દેશને કડક સંદેશ આપ્યો છે. ચેન્નાઈમાં IIT મદ્રાસના એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને બરાબરનું સંભળાવી દીધું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત પોતાની સુરક્ષા માટે કઈ રીતે પગલાં લેશે, તે ભારત પોતે જ નક્કી કરશે, તેમાં કોઈની સલાહની જરૂર નથી.

