53rd Chief Justice of India: ભારતને તેના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે જસ્ટિસ સૂર્યકાંતના રૂપમાં એક નવું નેતૃત્વ મળ્યું છે. આજે, એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંતે જસ્ટિસ બી.આર. ગવઈનું સ્થાન લીધું છે, જેઓ 23 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. તેમને 30 ઓક્ટોબરે આગામી CJI તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ આશરે 15 મહિના સુધી આ ગરિમામયી પદ પર રહેશે. તેમની નિવૃત્તિ 9 ફેબ્રુઆરી, 2027ના રોજ 65 વર્ષની વય પૂર્ણ થવા પર થશે.

