BAPS Swaminarayan Mandir London: લંડનના પ્રખ્યાત BAPS સ્વામિનારાયણ મંદિર, જેને નીસડન મંદિર તરીકે ઓળખવામાં આવે છે, તેની સ્થાપનાના 30 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે બ્રિટનના મહારાજા કિંગ ચાર્લ્સ તૃતીય અને મહારાણી કેમિલા ખાસ મુલાકાતે પધાર્યા હતા. દિવાળી અને હિન્દુ નવા વર્ષના પવિત્ર માહોલ વચ્ચે આ મુલાકાતે મંદિરના ભક્તોમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો હતો.

