Kozhikode Train Fire: કેરળના કોઝિકોડમાં રવિવારે એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા બાબતે થયેલા નજીવા ઝઘડાને પગલે એક વ્યક્તિએ બીજા મુસાફરને આગ ચાંપી દેતાં ત્રણ લોકોના કરૂણ મોત થયા હતા. આ ઘટનામાં અન્ય આઠ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આગની ઘટનાના કલાકો બાદ કેરળના ઇલાથુર રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પર એક વર્ષના બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.

