પીએમ મોદીએ 26 જુલાઈ એટલે કે 'કારગિલ વિજય દિવસ' ને યાદ કરતા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ખરાબ હવામાન અને દુર્ગમ પહાડીઓ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણા જવાનોનો હોંસલો પડકારો કરતા મોટો હતો. આ ઉપરાંત, તેમણે સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી શક્તિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે,, તાજેતરમાં 75 ટકા સ્વદેશી સામગ્રીથી બનેલું અત્યાધુનિક જહાજ 'INS મહેન્દ્રગિરિ' નૌસેનામાં સામેલ થયું છે. DRDO એ 'પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ' અને 'કુશા મિસાઇલ' નું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ નિકાસમાં પણ દેશ આગળ વધી રહ્યો છે અને ઇન્ડોનેશિયા સાથે બ્રહ્મોસ તથા અસ્ત્ર મિસાઇલ માટે મોટો કરાર થયો છે.