Mobile traders: ગુજરાત સ્ટેટ જી.એસ.ટી. વિભાગને મળેલ માહિતી તેમજ વિભાગના સંશોધનને આધારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત તથા ભુજ ખાતે કુલ 79 મોબાઈલ વિક્રેતાઓના ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ધ્યાને આવ્યું કે, આ પેઢીઓ દ્વારા રૂપિયા 22 કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરવામાં આવી છે.

