Jantar Mantar protest: દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે છેલ્લા 26 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આખરે પોતાના પારણાં કરી લીધા છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલા આશ્વાસન બાદ તેમણે આ નિર્ણય લીધો છે. પરંતુ, આ મુદ્દે આંદોલન હજુ શાંત પડ્યું નથી. વાંગચુકના અનશન પૂરા થતાની સાથે જ અભિજિત દીપકેએ જંતર-મંતર પરથી આંદોલન ચાલુ રાખવાની મોટી જાહેરાત કરી દીધી છે.

