ઉત્તરાખંડ સરકારે રાજ્યના 11 જિલ્લાઓમાં બહારના રાજ્યોના લોકોને ખેતીની જમીન ખરીદવા પર પ્રતિબંધ લગાવતો નવો ભૂ-કાયદો અમલમાં મૂક્યો છે. ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને ભૂમિ વ્યવસ્થા અધિનિયમ, 1950) (સંશોધન) વિધેયક, 2025ને રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ (નિવૃત્ત) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કાયદો રાજ્યના 13માંથી 11 જિલ્લાઓમાં લાગુ થશે, જ્યારે હરિદ્વાર અને ઉધમ સિંહ નગર આ કાયદાના દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

