Ayodhya Ram Mandir Flag Hoisting: આજે અયોધ્યામાં એક વિશેષ અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પવિત્ર ધર્મ ધ્વજાને શ્રી રામ મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવી, જેનાથી ભવ્ય રામમંદિર હવે સંપૂર્ણપણે તૈયાર થયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિજીત મુહૂર્તમાં રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાવીને ઇતિહાસ રચ્યો.

