Get App

અયોધ્યામાં અભિજીત મુહૂર્તમાં PM મોદીએ રામમંદિર શિખર પર ચઢાવી ધર્મ ધ્વજા, હવે સંપૂર્ણ દિવ્ય રામમંદિર તૈયાર

Ayodhya Ram Mandir Flag Hoisting: આજે અયોધ્યામાં પવિત્ર અભિજીત મુહૂર્તમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજા લહેરાવી. જાણો આ દિવ્ય અને ભવ્ય સમારોહની સંપૂર્ણ વિગતો, રામ દરબાર પૂજા અને RSS વડા મોહન ભાગવતની ઉપસ્થિતિ વિશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 25, 2025 પર 12:27 PM
અયોધ્યામાં અભિજીત મુહૂર્તમાં PM મોદીએ રામમંદિર શિખર પર ચઢાવી ધર્મ ધ્વજા, હવે સંપૂર્ણ દિવ્ય રામમંદિર તૈયારઅયોધ્યામાં અભિજીત મુહૂર્તમાં PM મોદીએ રામમંદિર શિખર પર ચઢાવી ધર્મ ધ્વજા, હવે સંપૂર્ણ દિવ્ય રામમંદિર તૈયાર
પવિત્ર ધર્મ ધ્વજાને શ્રી રામ મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવી

Ayodhya Ram Mandir Flag Hoisting: આજે અયોધ્યામાં એક વિશેષ અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પવિત્ર ધર્મ ધ્વજાને શ્રી રામ મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવી, જેનાથી ભવ્ય રામમંદિર હવે સંપૂર્ણપણે તૈયાર થયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિજીત મુહૂર્તમાં રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાવીને ઇતિહાસ રચ્યો.

અયોધ્યામાં આજે અનેરો અને અનમોલ અવસર હતો. રામમંદિરના શિખર પર ધ્વજારોહણના આ કાર્યક્રમમાં કાશી, ઉત્તરાખંડ સહિત વિવિધ જગ્યાએથી સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સમારોહમાં લગભગ 6000 જેટલા આમંત્રિતો હાજર રહ્યા હતા, જેઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. મંત્રોચ્ચાર અને પૂજા વિધિપૂર્વક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાવવામાં આવ્યો.

અલૌકિક ક્ષણના બન્યા સાક્ષી અને અભિજીત મુહૂર્તમાં ધ્વજારોહણ

આ અલૌકિક દ્રશ્યને જોઈને સૌ કોઈમાં એક દિવ્ય ઉત્સાહની લાગણી જોવા મળી હતી. હાજર સૌ કોઈ શ્રદ્ધાળુઓ અને આમંત્રિતો "જય સિયા રામ"ના નારા લગાવીને આ આધ્યાત્મિક ક્ષણના સાથી બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને RSSના વડા મોહન ભાગવતે સૌ પ્રથમ રામ મંદિરના પહેલા માળે આવેલા નવનિર્મિત રામ દરબારમાં પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભગવાન રામલલ્લાના અભિષેક સમયે પહેલા માળે રામ દરબાર સ્થાપિત થયો ન હતો, જેનું નિર્માણ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો