Get App

NEET પેપર લીક અને CJP ના વિરોધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન: 'ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાશે, દોષિતોને બક્ષવામાં નહીં આવે'

NEET-UG 2026 પેપર લીક અને CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે પીએમ મોદીનું મોટું એલાન. કેસના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાશે. જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, વાંચો સંપૂર્ણ સમાચાર.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2026 પર 10:15 AM
NEET પેપર લીક અને CJP ના વિરોધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન: 'ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાશે, દોષિતોને બક્ષવામાં નહીં આવે'NEET પેપર લીક અને CJP ના વિરોધ વચ્ચે PM મોદીનું મોટું નિવેદન: 'ફાસ્ટ ટ્રેક કોર્ટ રચાશે, દોષિતોને બક્ષવામાં નહીં આવે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

કેન્દ્ર સરકારે દેશભરમાં ચકચાર મચાવનાર પેપર લીક મામલે હવે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. NEET-UG 2026 ના પેપર લીકના આરોપોને લઈને દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ જ વિરોધ પ્રદર્શન વચ્ચે ગુરુવારે, 23 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ મુદ્દે ખુલીને વાત કરી છે અને એક મોટો નિર્ણય લીધો છે.

પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, યુવાનોના ભવિષ્ય સાથે રમત રમનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.

પીએમ મોદીનું મોટું એલાન: 'ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના થશે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને વહેલામાં વહેલી તકે કડકમાં કડક સજા મળે અને કેસનો ઝડપી નિકાલ થાય, તે માટે 'ફાસ્ટ ટ્રેક કોર્ટ' ની રચના કરવામાં આવશે."

તેમણે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું કે, "આ અંગે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના હિતોને સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા લેવાઈ રહેલા નિર્ણયોમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે."

બધા સમાચાર

+ વધુુ વાંચો