ચીનના તિયાનજિનમાં યોજાયેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓના સમિટમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને કડક ફટકાર લગાવી અને ચીનને પણ સ્પષ્ટ ચેતવણી આપી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં જયશંકરે પાકિસ્તાનની આતંકવાદને પ્રોત્સાહન આપવાની નીતિ પર સવાલ ઉઠાવ્યા અને ભારતની ઝીરો ટોલરન્સ નીતિનો પુનરોચ્ચાર કર્યો.

