India-Pakistan match: આફ્રિદીના આ નિવેદનો વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL)માં યુવરાજ સિંહની આગેવાની હેઠળની ઇન્ડિયા ચેમ્પિયન્સ ટીમ દ્વારા પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે મેચના બહિષ્કારના પગલે આવ્યા છે. આ બહિષ્કાર પહેલગામ આતંકી હુમલા અને ભારતના ઓપરેશન સિંદૂર બાદ બંને દેશો વચ્ચેના તણાવના કારણે થયો હતો. આ હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓએ પર્યટકોની હત્યા કરી હતી, જેના કારણે ભારતીયોમાં ભારે રોષ હતો.