બાંગ્લાદેશમાં તાજેતરમાં રાજકીય ઉથલપાથલ બાદ કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન જમાત-ચર મોઈના નેતા પીર મુફ્તી સૈયદ મુહમ્મદ ફૈઝુલ કરીમે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જાહેર કર્યું છે કે જો તેમની પાર્ટી 'ઇસ્લામિક મૂવમેન્ટ બાંગ્લાદેશ' સત્તામાં આવશે, તો તેઓ દેશમાં અફઘાનિસ્તાનના તાલિબાન શાસનની તર્જ પર શરિયત કાયદો લાગુ કરશે.

