આગામી T20 વર્લ્ડ કપ 2026 શરૂ થાય તે પહેલાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાને એક નવો પેંતરો રચતા જાહેરાત કરી છે કે તે વર્લ્ડ કપમાં તો ભાગ લેશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામે યોજાનારી મેચનો બહિષ્કાર કરશે. પાકિસ્તાનના આ નિર્ણય પર દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. હવે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ આ મામલે મૌન તોડ્યું છે અને ઘટનાને શરમજનક ગણાવી છે.

