Get App

T20 World Cup: પાકિસ્તાન મેદાન છોડીને ભાગ્યું! ભારત સામે મેચ રમવાનો સાફ ઈનકાર, જાણો શું છે સમગ્ર મામલો

T20 World Cup 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો હવે નહીં જોવા મળે. પાકિસ્તાન સરકારે ભારત સામે 15 ફેબ્રુઆરીએ મેચ રમવાની ના પાડી દીધી છે. જાણો આ નિર્ણય પાછળનું કારણ અને ICCનું વલણ.

MoneyControl Newsઅપડેટેડ Feb 02, 2026 પર 11:50 AM
T20 World Cup: પાકિસ્તાન મેદાન છોડીને ભાગ્યું! ભારત સામે મેચ રમવાનો સાફ ઈનકાર, જાણો શું છે સમગ્ર મામલોT20 World Cup: પાકિસ્તાન મેદાન છોડીને ભાગ્યું! ભારત સામે મેચ રમવાનો સાફ ઈનકાર, જાણો શું છે સમગ્ર મામલો
T20 World Cup 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો હવે નહીં જોવા મળે.

India vs Pakistan T20 World Cup: ક્રિકેટની દુનિયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને સૌથી રોમાંચક માનવામાં આવે છે, પરંતુ આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા જ ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. પાકિસ્તાને જાણે મેદાન છોડી દીધું હોય તેમ ભારત સામે મેચ રમવાનો સાફ ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાન સરકારના આ નિર્ણય બાદ હવે ક્રિકેટ જગતમાં હડકંપ મચી ગયો છે.

ભારત સામે નહીં રમે પાકિસ્તાન

આગામી T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ગ્રુપ મેચ રમાવાની હતી. પરંતુ હવે આ હાઈવોલ્ટેજ મુકાબલો શક્ય બનશે નહીં. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા માટે મંજૂરી તો આપી દીધી છે, પરંતુ સાથે એક મોટી શરત પણ મૂકી છે. સરકારી આદેશ મુજબ, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે ખરી, પરંતુ 15 ફેબ્રુઆરીએ ભારત સામે નિર્ધારિત મેચ રમવા મેદાનમાં નહીં ઉતરે. એટલે કે, પાકિસ્તાન ટુર્નામેન્ટનો હિસ્સો હોવા છતાં ભારત સામેના મુકાબલાથી દૂર રહેશે.

પાકિસ્તાન સરકારની સત્તાવાર જાહેરાત

આ અંગેની જાણકારી ખુદ પાકિસ્તાન સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર આપી છે. ગવર્મેન્ટ ઓફ પાકિસ્તાનના ઓફિશિયલ હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, "ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાનની સરકાર ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવાની મંજૂરી આપે છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ 15 ફેબ્રુઆરી 2026 ના રોજ ભારત સામેની મેચ નહીં રમે."

ICCને નુકસાન પહોંચાડવાનો દાવ?

ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે પાકિસ્તાનનો આ નિર્ણય ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને આર્થિક ફટકો મારવાની રણનીતિનો એક ભાગ હોઈ શકે છે. ભારત-પાકિસ્તાન મેચથી ICCને સૌથી વધુ કમાણી થાય છે. થોડા સમય પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીએ ICC પર બેવડું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. નકવીએ એમ પણ કહ્યું હતું કે ICC હાલમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના પ્રભાવમાં કામ કરી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો