કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસા, જલેબી અને લડ્ડૂ જેવા ભારતીય સ્નેક્સને લઈને ફેલાયેલી ખોટી અફવાઓને નકારી કાઢી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આવા ખાદ્ય પદાર્થો પર કોઈ ચેતવણી લેબલ લગાવવાની એડવાઈઝરી જારી કરવામાં આવી નથી, પરંતુ લોકોને હેલ્થી ખોરાક અને જીવનશૈલી અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

