દેશભરમાં બોગસ અને ભૂતિયા વકીલોને વકીલાતના વ્યવસાયમાંથી દૂર કરવા માટે શરૂ કરાયેલી વેરિફિકેશન પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી. ગુજરાતમાં પણ આ પ્રક્રિયા માત્ર 50 ટકા જેટલી જ આગળ વધી છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) એ તમામ રાજ્યની બાર કાઉન્સિલને ફેબ્રુઆરી 2022 સુધી નોંધાયેલા વકીલો માટે પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરાવવાનો આદેશ આપ્યો છે, અને તેના માટે 30 દિવસની મુદત આપી છે.