Get App

મહારાષ્ટ્રમાં શોકની લહેર: ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, DGCA એ જાહેર કર્યો પહેલો રિપોર્ટ

Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ સમયે થયેલા પ્લેન ક્રેશમાં ડેપ્યુટી CM અજિત પવાર સહિત 5 લોકોના મોત થયા છે. DGCA એ દુર્ઘટના અંગે મહત્વની માહિતી આપી છે. જાણો વિમાનમાં કોણ કોણ સવાર હતું.

MoneyControl Newsઅપડેટેડ Jan 28, 2026 પર 10:21 AM
મહારાષ્ટ્રમાં શોકની લહેર: ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, DGCA એ જાહેર કર્યો પહેલો રિપોર્ટમહારાષ્ટ્રમાં શોકની લહેર: ડેપ્યુટી CM અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન, DGCA એ જાહેર કર્યો પહેલો રિપોર્ટ
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના બારામતીમાં લેન્ડિંગ સમયે થયેલા પ્લેન ક્રેશમાં ડેપ્યુટી CM અજિત પવાર સહિત 5 લોકોના મોત થયા છે.

Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાંથી બુધવારે સવારે એક અત્યંત દુખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Deputy CM) અજિત પવારનું બારામતીમાં થયેલા એક ગમખ્વાર વિમાન અકસ્માતમાં નિધન થયું છે. પોતાના હોમગ્રાઉન્ડ ગણાતા બારામતીમાં જ લેન્ડિંગ સમયે તેમનું વિમાન ક્રેશ થઈ ગયું હતું, જેમાં તેમનો જીવ ગયો છે.

કેવી રીતે બની ઘટના?

મળતી માહિતી મુજબ, અજિત પવાર બુધવારે સવારે મુંબઈથી એક પ્રાઈવેટ વિમાનમાં સવાર થઈને બારામતી જવા નીકળ્યા હતા. બારામતીમાં આજે તેમની 4 અલગ-અલગ સભાઓનું આયોજન હતું. જોકે, જ્યારે તેમનું વિમાન બારામતીમાં લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે અચાનક દુર્ઘટના સર્જાઈ અને પ્લેન ક્રેશ થઈ ગયું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં સવાર કોઈ પણ વ્યક્તિનો જીવ બચી શક્યો નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો