Market Cues: ભારતીય શેરબજારમાં હાલમાં ઓવરઓલ સેન્ટિમેન્ટ થોડું નરમ જોવા મળી રહ્યું છે. ઉપલા સ્તરેથી આવી રહેલા દબાણને કારણે માર્કેટમાં નવી ખરીદી અટકી ગઈ છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી નિફ્ટી 23,500 ના લેવલની નીચે રહેશે, ત્યાં સુધી બજારમાં કન્સોલિડેશન એટલે કે નરમ તરફી ચાલ જોવા મળી શકે છે. હાલના તબક્કે માર્કેટ માટે 23,100 નું લેવલ ખૂબ જ મહત્વનું છે. જો નિફ્ટી આ સપોર્ટ તોડશે અને તેની નીચે બંધ આપશે તો બજારમાં મોટી વેચવાલી આવી શકે છે.

