Indian Share Market News: ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) દ્વારા વેચવાલીનો સિલસિલો યથાવત છે. એપ્રિલ 2026ના બીજા પખવાડિયામાં (16 થી 30 એપ્રિલ દરમિયાન) વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી મોટાપાયે નાણાં પાછા ખેંચ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, વર્ષ 2026માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી કુલ 2 લાખ કરોડની નિકાસ કરી ચૂક્યા છે. જોકે, આ ચોંકાવનારી વેચવાલી વચ્ચે પણ કેટલાક એવા સેક્ટર્સ છે જેમાં રોકાણકારોએ દિલ ખોલીને રોકાણ કર્યું છે.

