Ramdev Agarwal on market: હાલમાં શેર બજારમાં ચાલી રહેલા ઘટાડાથી ઘણા રોકાણકારો ચિંતિત છે. પરંતુ, માર્કેટના દિગ્ગજ અને મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના ચેરમેન તથા કો-ફાઉન્ડર રામદેવ અગ્રવાલે એક મોટી વાત કહી છે. તેમના મતે આ ઘટાડો ગભરાવવાનો નહીં, પણ લાંબા ગાળે તગડી કમાણી કરવાનો એક મોટો અવસર છે. તાજેતરમાં મનીકંટ્રોલ ગ્લોબલ વેલ્થ સમિટમાં તેમણે સ્ટોક માર્કેટને લઈને ઘણી અગત્યની વાતો શેર કરી હતી.

