RBI Monetary Policy: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસીની જાહેરાત થઈ ગઈ છે. સામાન્ય માણસ અને લોનધારકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. RBI એ પોતાના વ્યાજ દરોમાં એટલે કે રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. તેનો સીધો અર્થ એ છે કે રેપો રેટ 5.25 ટકા પર જ જળવાઈ રહેશે.

