રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને વધુ સિક્યોર બનાવવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. ઓનલાઇન છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને RBI હવે ડાયનામિક 2-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ નવી પદ્ધતિ અંતર્ગત યુઝર્સે ટ્રાન્ઝેક્શન માટે માત્ર વન-ટાઇમ પાસવર્ડ (OTP)નો જ નહીં, પરંતુ બીજા સુરક્ષા સ્તર જેવા કે પાસવર્ડ અથવા બાયોમેટ્રિક્સનો પણ ઉપયોગ કરવો પડશે. આ પગલું ઓનલાઇન છેતરપિંડીને રોકવામાં મદદ કરશે અને યુઝર્સના નાણાકીય ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવશે.

