Market Outlook: ભારતીય શેરબજારમાં 4 જૂનના રોજ ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. દિવસભરના ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે સુસ્તીમાં બંધ થયા હતા. બજારમાં આ સાવચેતી પાછળનું મુખ્ય કારણ 5 જૂને જાહેર થનારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી છે. રોકાણકારો વ્યાજદરોના નિર્ણય પહેલા કોઈ મોટું જોખમ લેવા માંગતા નથી.

