Share Market Crash: શેરબજારમાં આવેલા મોટા કડાકાને કારણે સામાન્ય રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. પરંતુ આ ભારે ઘટાડા વચ્ચે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના ચેરમેન તુહિન કાંત પાંડેએ રોકાણકારો માટે એક મહત્વનો અને રાહત આપનારો સંદેશ આપ્યો છે. તેમણે રોકાણકારોને અપીલ કરી છે કે બજારના આ ઉતાર-ચઢાવથી ગભરાવાની કોઈ જ જરૂર નથી.

