ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલો ઘાતક સંઘર્ષ હવે ભારત માટે પણ ચિંતાનું કારણ બન્યો છે. બંને દેશો એકબીજા પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે, જેની અસર ભારતના વ્યાપારિક અને રણનીતિક હિતો પર પડી રહી છે. ખાસ કરીને, ઈરાનના ચાબહાર પોર્ટમાં ભારતના 550 મિલિયન ડોલર (લગભગ 4771 કરોડ રૂપિયા)નું રોકાણ ખતરામાં છે. આ પોર્ટ ભારત માટે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાનો મહત્વનો રસ્તો છે, જે પાકિસ્તાનને બાયપાસ કરે છે.