CAA: મોદી સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નવો કાયદો દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ CAAને લઈને દેશની અંદર વિરોધ અટકી રહ્યો નથી. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ બાદ કેરળ રાજ્યમાં પણ આ કાયદાનો વિરોધ ઉગ્ર બન્યો છે. 14 માર્ચે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જાહેરાત કરી કે "કેરળમાં નાગરિકતા કાયદો (CAA) લાગુ કરવામાં આવશે નહીં."

