Get App

ચૂંટણીમાં ‘મફતની રેવડી' આપતા નેતાઓ સાવધાન! SBIની ચેતવણી; મફતની ભેટ નહિ, રોજગારી આપવા પર ધ્યાન આપો

SBI report on freebies: ચૂંટણીમાં અપાતી ‘મફતની રેવડી' અર્થતંત્ર માટે મોટો ખતરો છે. SBI અને સુપ્રીમ કોર્ટે ચેતવણી આપતા કહ્યું કે સરકાર મફત ભેટ આપવાને બદલે રોજગાર વધારવા પર ધ્યાન આપે.

MoneyControl Newsઅપડેટેડ Mar 07, 2026 પર 11:36 AM
ચૂંટણીમાં ‘મફતની રેવડી' આપતા નેતાઓ સાવધાન! SBIની ચેતવણી; મફતની ભેટ નહિ, રોજગારી આપવા પર ધ્યાન આપોચૂંટણીમાં ‘મફતની રેવડી' આપતા નેતાઓ સાવધાન! SBIની ચેતવણી; મફતની ભેટ નહિ, રોજગારી આપવા પર ધ્યાન આપો
SBI report on freebies: ચૂંટણીમાં અપાતી ‘મફતની રેવડી' અર્થતંત્ર માટે મોટો ખતરો છે.

Freebie culture: ચૂંટણીનો સમય આવે એટલે રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે મફતની ભેટ (Freebies) અને બેંક ખાતામાં સીધા રોકડ નાખવાના વાયદાઓનો વરસાદ કરી દે છે. પણ શું તમે જાણો છો કે આ ‘મફતની રેવડી' દેશના અર્થતંત્રને ધીમે ધીમે ખોખલું કરી રહી છે? દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના લેટેસ્ટ રિપોર્ટમાં આ અંગે લાલ બત્તી ધરવામાં આવી છે અને તેને દેશના વિકાસ માટે ચિંતાનો વિષય ગણાવ્યો છે.

રાજ્યની તિજોરી પર કેટલો પડે છે બોજ?

SBIના રિસર્ચ રિપોર્ટ મુજબ, ચૂંટણી જીતવા માટે અપાતી મફત યોજનાઓ પાછળ રાજ્યોના જીએસડીપી (GSDP) ના 0.1%થી લઈને 2.7% જેટલો જંગી ખર્ચ થઈ જાય છે. જો આંકડાની ભાષામાં સમજીએ તો, આ ખર્ચ રાજ્યોની પોતાની કુલ કમાણીના (મહેસૂલી આવક) લગભગ 5%થી 10% જેટલો હોય છે.

રિપોર્ટમાં એક મહત્વની સલાહ આપવામાં આવી છે કે આવી મફત યોજનાઓ પર થતા ખર્ચની એક ચોક્કસ લિમિટ (GSDP ના અમુક ટકા) નક્કી થવી જોઈએ. જો આમ નહિ થાય તો ભવિષ્યમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી ખરેખર જરૂરી કલ્યાણકારી યોજનાઓ માટે બજેટની અછત સર્જાશે.

સુપ્રીમ કોર્ટની ટકોર: મફતની ભેટ નહિ, રોજગાર આપો

આ ‘રેવડી કલ્ચર' સામે માત્ર આર્થિક નિષ્ણાતો જ નહીં, પણ દેશની સુપ્રીમ કોર્ટ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. કોર્ટે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, સરકારે લોકોને મફતની વસ્તુઓ કે રોકડ વહેંચવાને બદલે રોજગારીની નવી તકો ઊભી કરવી જોઈએ. જેથી સામાન્ય નાગરિક કોઈની દયા પર નહિ, પણ પૂરા આત્મસન્માન સાથે પોતાનું જીવન જીવી શકે.

કોર્ટે એવો ગંભીર સવાલ પણ ઉઠાવ્યો હતો કે શું આપણે સક્ષમ લોકો અને ખરેખર જરૂરિયાતમંદ (હાંસિયામાં ધકેલાયેલા) લોકો વચ્ચેનો તફાવત ભૂલી ગયા છીએ? જો કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાને મફત આપવામાં આવે, તો તે માત્ર એક 'તુષ્ટિકરણની નીતિ' બની જશે, જે આખરે દેશના વિકાસને રોકવાનું જ કામ કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો