Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં જે વાતનો ડર હતો, આખરે એ જ થયું છે. બુધવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. અજિત પવારની ગેરહાજરીને કારણે તેમની પાર્ટી NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) હવે વેરવિખેર થતી જોવા મળી રહી છે. આ આંતરિક ખેંચતાણ માત્ર NCP પૂરતી સીમિત નથી રહી, પરંતુ તેના કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓના કપાળે પણ ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે.

