આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. જાહેર નાણાંના દુરુપયોગના આરોપસર અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો સામે કેસ નોંધવા માટે કહેવામાં આવ્યું છે.