દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીને પાર્ટી દ્વારા વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વર્તમાન સીએમ અરવિંદ કેજરીવાલ લાંબા સમય બાદ તિહાર જેલમાંથી જામીન પર બહાર આવ્યા છે. આ પછી કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. મંગળવારે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને નવા સીએમ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

