સંભલ કેસ પર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખડગેએ કહ્યું કે આ લોકો કહી રહ્યા છે કે પહેલા મંદિર હતું અને હવે મસ્જિદ છે. તેઓ કહી રહ્યા છે કે મસ્જિદની નીચે મંદિર છે. મોહન ભાગવતે 2022માં કહ્યું હતું કે દરેક મસ્જિદમાં શિવાલય શોધવાનો પ્રયાસ ન કરો.

